લક્ષ્મી વિલાસ પેલેસ
દેશ-વિદેશમાંથી કોઈપણ પ્રવાસી વડોદરા આવે અને આ સંસ્કારી નગરીની શાન સમાન લક્ષ્મી વિલાસ મહેલની મુલાકાત ન લે તો આ પ્રવાસ અધુરો રહી ગયો કહેવાય. મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમથી ઇ.સ.1890માં લક્ષ્મી વિલાસ મહેલ બાંધવામાં આવ્યો હતો. આ મહેલની અંદર ધાતુની સુંદર મૂર્તિઓ, જૂના હથિયારો તથા મેઝેઇક અને ટેરાકોટા રાખવામાં આવેલા છે. 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. આ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઇ પરથી રાખવામાં આવ્યું છે. સો વર્ષ પહેલા આ મહેલમાં વીજળીની સુવિધા હતી. આ મહેલની બાલ્કનીમાં મોંઘા ગણાતા સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લક્ષ્મીવિલાસ પેલેસમાં ઘણી જગ્યાએ કોતરણીમાં એસઆરજી લખેલું જોવા મળે છે, જે સયાજીરાવ ગાયકવાડનું ટૂંકું નામ છે. લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરતાં 18 મહિના જેટલો સમય લાગ્યો હતો. પેલેસનો દરબાર હોલ સંગીતના જલસા માટે પ્રખ્યાત છે તથા હોલમાં વેટિકન મોઝેક લગાવવામાં આવ્યાં છે. આ મહેલમાં ચિત્રકાર રવિ વર્માના 12 ચિત્રો લગાવવામાં આવ્યા છે. સાર્સેનિક શૈલીનું આ સ્થાપત્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મેજર ચાર્લ્સ મંટ પાસે તૈયાર કરાવડાવ્યું હતું, પરંતુ ઇમારતનું બાંધકામ રોબર્ટ શિઝલોમે પૂર્ણ કર્યું હતું. 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. બકિંગહામ પેલેસ કરતાં પણ ચારગણા કદનો લક્ષ્મી વિલાસ પેલેસ તે સમયે સૌથી અદ્યતન ઇમારત ગણાતો હતો, જેના ઇન્ટિરિયરમાં એલિવેટર્સ અને યુરોપિયન કન્ટ્રી હાઉસનાં એલિમેન્ટ્સનો સમાવેશ કરાયો છે.પેલેસના મુખ્ય હોલ દરબાર હોલમાં વેનેશિયન મોઝાઇક ફ્લોર, બેલ્જિયન સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝ અને વોલ્સ પર બારીક મોઝાઇક ઇન્ટિરિયર છે. ફેલિસીના ટેરાકોટા, માર્બલ અને બ્રોન્ઝ સ્ટેચ્યુઝ આ પેલેસની શાન છે. ક્યુ ગાર્ડન્સના સ્પેશિયાલિસ્ટ વિલીયમ ગોલ્ડરિંગે તેના આસપાસના ગ્રાઉન્ડઝ ડિઝાઇન તૈયાર કર્યા હતા. પેલેસનું કમ્પાઉન્ડ અંદાજે ૭૦૦ એકરનું છે. મોતીબાગ પેલેસ અને મહારાજ ફતેહસિંઘ મ્યુઝિયમ પણ પેલેસ પરિસરમાં છે.
Address: રાજમહેલ રોડ, વડોદરા