છંદ : મંદાક્રાન્તા
ભારે કીધી દશરથ તણા રામજી ભૂલ આપે,
કીધે ધોબી વચન વસમાં ધ્યાન શાને ધર્યા ‘તા,
ત્યાગી સીતા વિકટ વનમાં કોઈ સંગાથ ન્હોતા,
ને એકાંતે નભ પણ રડ્યું આંસુ ઓ જે ખર્યા ‘તા,
રાજી પેલી ગહન વનરાજી તણા ઝાડ કેવા,
સાથે રે’શે જગત જનની જાનકી માત જેવા,
હોંશે એવા ફુલ કુસુમ સૌ ખીલતા રંગ દેવા,
વેલી ડાળી લચક મચકી સ્પર્શ અનંત લે’વા,
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત
History & Literature
Advertisements